સુપ્રીમ કોર્ટને અપીલ થયેલ હોય તે કેસમાં મોતની સજાના હુકમનો અમલ મોકુફ રાખવા બાબત - કલમ:૪૧૫

સુપ્રીમ કોર્ટને અપીલ થયેલ હોય તે કેસમાં મોતની સજાના હુકમનો અમલ મોકુફ રાખવા બાબત

(૧) હાઇકોટૅ કોઇ વ્યકિતને મોતની સજા કરે અને તેના ફેંસલા ઉપર સંવિધાનની કલમ ૧૩૪ના ખંડ (૧)ના પેટા ખંડ (ક) કે પેટા ખંડ (ખ) હેઠળ સુપ્રીમ કોર્ટને અપીલ થઈ શકતી હોય ત્યારે હાઇકોટૅ એવી અપીલ કરવા માટેની નિયત મુદત પુરી ન થાય ત્યાં સુધી અને જો તે મુદતની અંદર અપીલ કરવામાં આવેલ હોય તો તે અપીલનો નિકાલ ન થાય ત્યાં સુધી સજાનો અમલ મુલતવી રાખવાનો હુકમ કરવો જોઇશે

(૨) હાઇકોર્ટ મોનની સજા કરે અથવા તેને બહાલી આપે અને સંવિધાનનો અનુચ્છેદ ૧૩૨ અથવા અનુચ્છેદ ૧૩૪ના ખંડ (૧)ના પેટા ખંડ (ગ) હેઠળ પ્રમાણપત્ર આપવ માટે રાજા પામેલ વ્યકિત હાઈકોર્ટને અરજી કરે ત્યારે હાઇકોર્ટ એવી અરજીનો નિકાલ ન કરે ત્યાં સુધી અથવા એવી અરજી ઉપરથી પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હોય તો એવા પ્રમાણપત્ર ઉપરથી સુપ્રીમ કોટૅને અપીલ કરવા માટેની નિયત મુદત પુરી ન થાય ત્યાં સુધી હાઇકોર્ટ સજાનો અમલ મુલત્વી રાખવાનો હુકમ કરવો જોઇશે

(૩) હાઇકોટૅ મોતની સજા કરે કે તેને બહાલી આપે અને હાઇકોટૅને એવી ખાતરી થાય કે સજા પામેલ વ્યકિત સંવિધાનનો અનુચ્છેદ ૧૩૬ હેઠળ અપીલ કરવા માટે ખાસ પરવાનગી આપવા માટે સુપ્રીમ કોટૅને અરજી કરવા ધારે છે તો તે એવી અરજી કરી શકે તે માટે હાઇકોટૅને પુરતી લાગે તેટલી મુદત સુધી સજાનો અમલ મોકુફ રાખવાનો હુકમ હાઇકોટૅ કરવો જોઇશે